કેન્દ્રીય મંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યોના સહકારી મંત્રીઓની ‘મંથન બેઠક’ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાન-પ્રદાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.…

ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટ બેઠક: ચિંતન શિબિર, કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદી પર થશે મોટી સમીક્ષા

ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વહીવટી તંત્ર અને જનહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મુખ્ય ફોકસ આવનારી ચિંતન શિબિરની તૈયારીઓ, કૃષિ રાહત પેકેજની સમીક્ષા અને MSP પર ખરીદીની સ્થિતિ રહેશે. ચિંતન શિબિર અંગે પ્રસ્તુતીકરણ રાજ્યના મુખ્ય સચિવ કેબિનેટ સમક્ષ ચિંતન શિબિરની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરશે. આ શિબિરનો હેતુ — – વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવું – આવનારી વિકાસ યોજનાઓ માટે દિશા નક્કી કરવી રાજ્યના સ્તરે નીતિ-નિર્ણય પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવાનો આ મુખ્ય પ્રયાસ માનવામાં આવે છે. કેબિનેટના મુખ્ય મુદ્દા: કૃષિ પર વિશેષ ધ્યાન 1. કૃષિ રાહત પેકેજની સઘન સમીક્ષા – તાજા કૃષિ રાહત પેકેજ અંતર્ગત રાજ્યભરમાંથી મળેલી અરજીઓની સ્થિતિની સમીક્ષા થશે. હેતુ એ છે કે: – પાત્ર ખેડૂતોને ઝડપથી…