અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા છે. ડીજીસીએ અને ફોરેન્સિક અધિકારીઓ ક્રેશ સ્થળની તપાસ કરી રહ્યા છે. ટીમે સમગ્ર ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરી છે. અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા મળી આવશે, તો અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે નક્કી કરવા માટે તેમની તપાસ કરવામાં આવશે. હવે, દિલ્હી સ્થિત VSR એવિએશન દ્વારા સંચાલિત લર્નજેટ 45 નું બ્લેક બોક્સ મળી આવ્યું છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે…

દ.કોરિયા વિમાન દુર્ઘટનામાં 2 ક્રૂ મેમ્બર્સ કઇ રીતે બચી ગયા, હાલ બન્નેની હાલત કેવી છે તે જાણો

દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાની તસવીરોએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને વિમાનમાં સવાર લોકોમાંથી માત્ર બે જ બચી શક્યા હતા. વાસ્તવમાં બંને પ્લેનની પાછળની બે સીટ પર બેઠા હતા. બચી ગયેલા બે લોકોની ઓળખ ફ્લાઈટ એટેન્ડન્ટ લી, 32, અને ક્વોન, 25 તરીકે થઈ હતી. -> બચેલા 2 સભ્યો આઘાત અને મૂંઝવણની સ્થિતિમાં છે :- વાસ્તવમાં, પ્લેનનો પાછળનો ભાગ કોમર્શિયલ ફ્લાઈટ્સમાં સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. 2015માં ટાઈમ મેગેઝિન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિમાન અકસ્માતના કિસ્સામાં પાછળની સીટો સૌથી સુરક્ષિત છે. રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે પ્લેનની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે મૃત્યુ દર 32 ટકા હતો,…