પાકિસ્તાનને લઈ ઓવૈસીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આ દેશ માનવતા માટે ખતરો બની ગયો છે. ઓવૈસીએ કહ્યું કે સરકાર દ્વારા અનેક દેશોની મુલાકાત લેવા માટે મોકલવામાં આવી રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંના એકના સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમના સંદેશનો આ મુખ્ય મુદ્દો હશે. એક મીડિયા સાથેની મુલાકાતમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે લાંબા સમયથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા વિશે વિશ્વને જણાવવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ઘણું નુકસાન સહન કર્યું છે.’ ઝિયા-ઉલ-હકના સમયથી આપણે બધાએ લોકોના નરસંહાર જોયા છે. જોકે, ઓવૈસીએ કહ્યું કે સરકારે હજુ સુધી તેમને રાજદ્વારી અભિયાન વિશે વિગતવાર માહિતી આપી નથી. લોકસભા સભ્ય ઓવૈસીએ કહ્યું કે…