નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે

8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના પ્રતિસાદમાં પાકિસ્તાને કાબુલ સ્થિત તેના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ મહેસુદ બચી ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી પાકિસ્તાનને આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. નૂર વલી મહેસુદ: કોણ છે આ આતંકવાદી નેતા? – જન્મ: 26 જૂન, 1978 – દક્ષિણ વઝીરિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા – જાતિ: મહસુદ પઠાણ (પશ્તુન જાતિની મેચીખેલ ઉપજાતિ) – 2018થી TTPના વડા – પૂર્વ TTP વડા મુલ્લા ફઝલુલ્લાહના મોત પછી સુકાની પદ પર આવ્યા – TTPના કાર્યકાળમાં આતંકવાદી હુમલાઓમાં વધારો -10 સપ્ટેમ્બર 2019: અમેરિકા…