UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત

સંયુક્ત આરબ અમીરાતે (UAE) પવિત્ર રમઝાન મહિના દરમિયાન 500 થી વધુ ભારતીય નાગરિકો સહિત કેદીઓને સામૂહિક માફીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીના અંતમાં અમલમાં આવેલા આ નિર્ણય હેઠળ, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 1,295 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ સાથે, વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1,518 કેદીઓને માફ કર્યા. આ પણ વાંચો :- દુનિયાના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા મુકેશ અંબાણી, જો કે હજુ પણ ભારતના સૌથી ધનિક વ્યક્તિ રમઝાન દરમિયાન કેદીઓને માફ કરવાની આ વાર્ષિક પરંપરા યુએઈની ન્યાય, કરુણા અને ભારત સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પહેલ રમઝાનની કરુણા અને સમાધાનની ભાવનાનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે. શેખ મોહમ્મદ બિન રશીદ દ્વારા આપવામાં આવેલી માફી દુબઈના…