Pahalgam: કલમા પઢવાથી આસામના પ્રોફેસર દેવાશીષ ભટ્ટાચાર્યનો બચ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં, જ્યાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યાં એક ચમત્કારજનક ઘટના સામે આવી છે. આસામ યુનિવર્સિટીના પ્રોફેસર દેવાશીષ ભટ્ટાચાર્ય તેમનો પરિવાર સાથે ભયાનક પરિસ્થિતિમાંથી અનોખી રીતે જીવતા બચી ગયા. “કલમા”નો પાઠ બન્યો જીવ બચાવનારી ઢાલ પ્રોફેસર ભટ્ટાચાર્ય તેમની પત્ની અને પુત્ર સાથે બૈસરન મેદાન ખાતે હાજર હતા ત્યારે ગોળીબાર શરૂ થયો. ઘરમાં બેઠેલા લોકોને ખાતરી પણ નહોતી કે તે તેમનું છેલ્લું પળ હોઈ શકે. જાન બચાવવાની કોશિશમાં કેટલાક લોકોએ મુસ્લિમ ધર્મનું “કલમા” (ધાર્મિક પાઠ) ઉચ્ચારવાનું શરૂ કર્યું. ડરથી પ્રભાવિત થયેલા ભટ્ટાચાર્યએ પણ શ્રદ્ધાભાવથી કલમાનો પાઠ શરૂ કર્યો જ્યારે એક આતંકવાદી તેમની બાજુમાં આવેલા વ્યક્તિને ગોળી મારી દે છે, ત્યારે તે ભટ્ટાચાર્યની તરફ વળી પૂછે છે –…