મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિદેશી…

મકરસંક્રાંતિ 2026: એકાદશી સંયોગમાં ખીચડી કે દહીં-ચૂડા?

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ભક્તોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે મકરસંક્રાંતિ પર એકાદશી તિથિનો સંયોગ સર્જાયો છે. પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને ખીચડી ખાવાની રીત છે, જ્યારે બિહારમાં દહીં-ચૂડા ખાવાની પરંપરા પ્રચલિત છે. જોકે એકાદશી તિથિમાં ચોખા ખાવા મનાઈ હોવાથી લોકોમાં ગૂંચવણ છે કે આ વખતે ખીચડી ક્યારે બનાવવી? એકાદશી તિથિ ક્યારે છે? પંચાંગ અનુસાર, ષટતિલા એકાદશી તિથિ 13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:17 વાગ્યે શરૂ થશે અને 14 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5:52 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને માન્ય ગણવામાં આવતી હોવાથી, ષટતિલા એકાદશીનું વ્રત બુધવાર 14 જાન્યુઆરી 2026ના રોજ રહેશે. મકરસંક્રાંતિ ક્યારે છે? જ્યોતિષ ગણતરી મુજબ, 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:07 વાગ્યે સૂર્ય મકર રાશિમાં…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાનાની રામકથાની લીધી મુલાકાત, જાણો વિગત

બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી પ્રસિદ્ધ મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથા દરમિયાન લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ સંબોધન કર્યું. તેમણે આ પવિત્ર ભૂમિ અને રામકથાના મહત્ત્વને ઉજાગર કરતા કહ્યું કે રાધા રાણીની ધરતી અને ગૌ સેવા માટે આ સ્થાન અનોખું છે, જેને તેઓ હૃદયપૂર્વક નમન કરે છે. ઓમ બિરલાએ જણાવ્યું કે આ અવસરે તેમને મોરારી બાપુની અમૃતમય વાણી દ્વારા રામકથાનું શ્રવણ કરવાનો વિશેષ સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. તેમનું કહેવું હતું કે મોરારી બાપુની રામકથા માત્ર બરસાના જ નહીં, પરંતુ આખા દેશને રામમય બનાવી દે છે. લોકસભા અધ્યક્ષે ભગવાન રામના જીવનમૂલ્યોને પ્રેરણાસ્ત્રોત માનીને જણાવ્યું કે રામજીનું જીવન સત્ય પર ચાલવાની, કરુણાના ભાવ સાથે સમર્પિત જીવન જીવવાની ઉદાહરણરૂપ છે. તેમણે લોકોને આ આદર્શોને જીવનમાં અપનાવવા…