આ ખેલાડીએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી, અચાનક કરી મોટી જાહેરાત
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે હાલમાં ત્રણેય ફોર્મેટમાં રમવા માંગે છે. તેણે ગયા વર્ષે ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ગયા વર્ષે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. શાકિબ અલ હસને બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટ પર કહ્યું, “મેં સત્તાવાર રીતે બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી. આ પહેલી વાર છે જ્યારે હું તેનો ખુલાસો કરી રહ્યો છું. મારી યોજના બાંગ્લાદેશ પાછા જઈને ODI, ટેસ્ટ અને T20 ની સંપૂર્ણ સીરિઝ રમવાની છે, અને પછી નિવૃત્તિ લેવાની છે.” શાકિબે આગળ કહ્યું, “હું બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકું છું. તેથી તે T20, ODI અને ટેસ્ટ, અથવા ટેસ્ટ, ODI અને T20…







