નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર

અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…