જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ

તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ મુસાફરો પાસેથી કુલ ₹32 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઝુંબેશનું નેતૃત્વ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ઉચિત સિંઘલ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ જમ્મુ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર વિશેષ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશનો હેતુ ગેરકાયદેસર મુસાફરી રોકીને રેલવેની આવકમાં વધારો કરવાનો અને નિયમિત મુસાફરોને સુવિધાજનક સફર પૂરી પાડવાનો છે. તહેવારોના દિવસોમાં દૈનિક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવતું હતું, જેમાં અસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર મનોજ મીણા અને ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અબ્દુલ રશીદ સહિતના અધિકારીઓની ટીમે ટ્રેનો (અપ અને ડાઉન બંને) અને વિવિધ…

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ

ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…