દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની ખોટા કેસમાં ધરપકડ કરવાનું ષડયંત્ર રચાયું છેઃ કેજરીવાલ
દિલ્હી સરકારના બે વિભાગોએ મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ યોજનાઓ તેમની પાસે સૂચિત નથી. જાહેરખબર બહાર પાડીને કહ્યું કે આવી કોઈ યોજના નથી. રજીસ્ટ્રેશન દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જાહેરાતો જારી કરીને લોકોને તેમની માહિતી શેર કરવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. જેને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહારો કર્યા છે. -> આ યોજનાઓથી પરેશાન BJP, CM આતિશીની ધરપકડનું ષડયંત્રઃ કેજરીવાલ :- AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ CBI, ED અને IT વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને તેમને સીએમ…







