ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ઉતારવા માટે માત્ર અમૃતસર જ કેમ પસંદ કરાય છે ? પંજાબના મુખ્યમંત્રીનો કેન્દ્રને સવાલ

અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવેલું પહેલું યુએસ એરફોર્સનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે અન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત આવી રહેલા બે વિમાનો પણ અમૃતસરમાં ઉતરશે. પહેલી ફ્લાઇટ ૧૫ ફેબ્રુઆરીએ અને બીજી ૧૬ ફેબ્રુઆરીએ આવશે. પંજાબ સરકારે આ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. સીએમ ભગવંત માને પૂછ્યું છે કે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને જતા વિમાનોને ફક્ત અમૃતસરમાં જ કેમ ઉતારવામાં આવી રહ્યા છે, જ્યારે તે અન્ય કોઈ રાજ્યમાં ઉતારી શકાયા હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા લોકોને પરત લાવનારા બે વિમાનોમાં મોટાભાગના લોકો પંજાબના હોવાનું કહેવાય છે . કુલ ૧૧૯ ભારતીયોને પાછા લાવવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન કહે છે કે અમૃતસરમાં વિમાનો ઉતારીને મોદી સરકાર પંજાબને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી…

ડિપોર્ટેડ ભારતીયો સાથે પ્લેનમાં અમાનવીય વર્તન, ટોયલેટ જવા માટે પણ નહોતી ખોલી હથકડી

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કરાયેલા 104 ભારતીયોનું પહેલું જૂથ ભારત પરત ફર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં આ વાતની પુષ્ટિ કરી. તે બધા પંજાબના અમૃતસરમાં ઉતર્યા, જેમાં 72 પુરુષો, 19 મહિલાઓ અને 13 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીયો સાથે કરાયેલા અમાનવીય વર્તનની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. ઘણા મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો, અને અપમાનજનક સ્થિતિમાં દેશનિકાલ કરવામાં આવ્યો.. પરત ફરતા મુસાફરોએ મીડિયાને જણાવ્યું કે આખી મુસાફરી દરમિયાન તેમને હાથકડી અને બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. લવપ્રીત કૌર જે તેના 10 વર્ષના પુત્ર સાથે પાછી આવી છે. તેમણે કહ્યું કે આખી મુસાફરી દરમિયાન અમને અમારા સ્થળેથી ખસવાની મંજૂરી નહોતી. જ્યારે મુસાફરોએ શૌચાલય જવાની પરવાનગી…