ભારત-ઈન્ડોનેશિયા નાણાકીય સહયોગને નવી દિશા

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે નાણાકીય સહયોગ વધારવા મહત્વપૂર્ણ ચર્ચા, સરહદપાર ડિજિટલ પેમેન્ટ પર ભાર   ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય આર્થિક અને નાણાકીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ છે. બંને દેશોએ વેપાર, રોકાણ અને આધુનિક નાણાકીય સેવાઓને પ્રોત્સાહન આપવા સાથે સરહદપાર ડિજિટલ પેમેન્ટ (Cross-Border Digital Payments) વ્યવસ્થાને વધુ સરળ અને અસરકારક બનાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. ચર્ચા દરમિયાન ડિજિટલ અર્થતંત્ર, ફિનટેક ક્ષેત્રમાં સહયોગ અને સુરક્ષિત તથા ઝડપી ડિજિટલ ચુકવણી વ્યવસ્થાના વિકાસ અંગે વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બંને દેશોનું માનવું છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને મજબૂત બનાવવાથી વેપારને વેગ મળશે તેમજ પ્રવાસીઓ અને વ્યવસાયિકોને પણ વધુ સરળ વ્યવહારોની સુવિધા મળશે.   ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ઝડપી પ્રગતિ…

પાકિસ્તાને UNમાં પાણી માટે માંગી ભીખ, ભારતના સખ્ત વલણ સામે થયું લાચાર

પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિનું એકપક્ષીય સસ્પેન્શન “લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મુકતું” પગલું છે. પાકિસ્તાનની અપીલ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના તરત પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનું નિષ્ફળ કરવા અને પાણી વહેંચણને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો. આ પગલાથી પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોવાનું નોંધાયું છે. શાહબાઝ શરીફના દેશના નેતાઓનો દાવો છે કે, દેશમાં પાણીની દરેક ટીપા માટે તરસ અનુભવાઇ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. લોકો અને પર્યાવરણ જોખમમાં: અસીમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું કે, ભારતનું આ પગલું માત્ર સંધિના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન નથી, પરંતુ…

દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”

દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. “જમ્મૂ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય છે,” એમ માંડવિયાએ સ્પષ્ટ કર્યું. તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિની ભાવનાને કમજોર કરી રહ્યું છે અને વારંવાર સંધિનો દુરૂપયોગ કરીને ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવાનો પ્રયાસ કરે છે. કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું કે તે આત્મચિંતન કરે અને આતંકવાદ તથા વિકાસ સંબંધિત ગંભીર પડકારોનું સમાધાન કરે. “પાકિસ્તાનને…