સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. મંદિના માહોલમાં હીરા કારીગરોની હાલત કફોડી બની છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનની ભાવ વધારાની માગણીને લઇ લેબર કમિશનરે ડાયમંડ વર્કર યુનિયનના વિવિધ યુનિયનો સાથે બેઠક યોજી હતી. જેમાં મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રત્ન કલાકારોને મદદરૂપ થવાની તમામ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે
આ ઉપરાંત સમગ્ર બાબતે નિરાકરણ લાવવા ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી હતી. જો 30 માર્ચ સુધી નિરાકરણ ન આવે હડતાળની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે બીજી તરફ સુરતમાં મંદી વચ્ચે હીરાના વેપારીઓ સાયબર ક્રાઇમની તપાસથી પરેશાન થવા પામ્યા છે. જેમાં તપાસના નામે હીરાના વેપારીઓના ખાતા સીઝ કરવામાં આવ્યા છે.
આ મંદીમાં હીરા વેપારીઓ પરેશાન થયા છે. ત્યારે આ વચ્ચે હીરા વેપારીઓને સાયબર તપાસથી વધારે પરેશાન થવાની વારી આવી છે. જેમાં તપાસના નામે 32 હીરા વેપારીઓના ખાતા સીઝ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :- Vadodara : વર્ષોથી લડત આપનારા ખેડૂતોની થઈ જીત, સરકારે જ નર્મદા નિગમની કચેરી કરી સીલ
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ દિનેશ નાવડિયાનું ખાતું પણ સીઝ કરવામાં આવ્યું છે. ઉધોગપતિઓના ખાતા સીઝ થતા વેપારીઓના 100 કરોડથી વધુના નાણાં ફસાયા હતા. જોકે સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહને રજુઆત કરવામાં આવી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






