બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને સત્તાના ભૂખ્યા” ગણાવ્યા અને તેમના પર દેશનો નાશ કરવા માટે વિદેશી દળો સાથે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો.
વર્ચ્યુઅલ સંબોધનમાં, શેખ હસીનાએ વિદ્યાર્થી નેતા અબુ સઈદની હત્યા પર શંકા વ્યક્ત કરી અને તેને સરકાર વિરોધી કાવતરાં સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રતીકોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનુસને સીધી ચેતવણી આપતા કહ્યું, “જો તમે આગ સાથે રમશો, તો તે તમને પણ બાળી નાખશે.” તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની યાદો ભૂંસાઈ રહી છે, જિલ્લાઓમાં બનેલા સ્વતંત્રતા સેનાની સંકુલને બાળી નાખવામાં આવી રહ્યા છે.
દેશ વિનાશ તરફ : હસીના
શેખ હસીનાએ આરોપ લગાવ્યો કે યુનુસે વિદેશી નાણાં અને દળોના સમર્થનથી દેશને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે બીએનપી અને જમાત-એ-ઇસ્લામીની મિલીભગતથી હિંસા ભડકાવવામાં આવી રહી છે અને અવામી લીગના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
કારખાનાઓ અને ઉદ્યોગો બંધ થવાના દાવાઓ
હસીનાના મતે, તેમની સરકાર હટાવ્યા બાદ દેશને ઔદ્યોગિક નુકસાન થયું છે. હજારો ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને આવામી લીગ સાથે જોડાયેલા ઉદ્યોગોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હોટલ અને હોસ્પિટલો પણ નાશ પામી રહી છે.
“ફાશીવાદી આતંકવાદી” કહીને હુમલો કર્યો
પોતાના ભાષણમાં, હસીનાએ યુનુસને “ફાસીવાદી આતંકવાદી” પણ કહ્યા. તેમણે કહ્યું કે યુનુસ જાણી જોઈને દેશને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.






