દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે.
સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મંદિર પરિસર સહિત સમગ્ર દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વ શાંતિ ભંગ ન કરી શકે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






