Rajkot : રાજકોટમાં આરોપીને LCBએ તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો, 11 વર્ષથી યુવકની હત્યાના કેસમાં હતો ફરાર

દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. તેવામાં 2014માં રાજકોટમાં યુવકની હત્યા કરીને 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. રાજકોટમાં યુવકની હત્યા કરી 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ઝડપી પાડ્યો છે. 2014માં મવડીમાં રહેતા યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો

LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યાના કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં બેફામ ફરતો હતો. રાજકોટ LCBને બાતમીના આધારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ

તમિલનાડુના તિરુનેલવેલીમાં સતત 3 દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાસણ વેચનાર, ફેરિયા, નાળિયેરના વેપારી બનીને વેશપલટો કર્યો હતો. તેવામાં માહિતી મળી કે આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચે વેશપલટો કરીને હત્યારા ગોવિંદ કાલુરામ ખાન ઠકુરીને દબોચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *