મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર” ના સમાપન સમારોહમાં રવિવારે સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતનો હેતુ શક્તિનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ વિશ્વને સાચી દિશા આપવાનો છે.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે આજનું વિશ્વ ઉપભોક્તાવાદ અને ભૌતિકતામાં ડૂબી ગયું છે, જેના કારણે આધ્યાત્મિક ખોટ ઊભી થઈ છે. આ આધ્યાત્મિક અભાવને કારણે વૈશ્વિક સ્તરે ઉગ્રવાદ અને અસંતુલન વધતું જઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે આર્થિક કે લશ્કરી શક્તિના આધારે નહીં, પરંતુ સદ્ભાવના, સંસ્કાર અને માનવ મૂલ્યોના આધારે “વિશ્વગુરુ”ની ભૂમિકા નિભાવવી પડશે.

“વિશ્વગુરુ”ની કલ્પના અંગે વાત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે ભારતનું વિશ્વગુરુ બનવું કોઈ વ્યક્તિગત કે રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા નથી, પરંતુ આજના સંજોગોમાં વિશ્વની તાત્કાલિક જરૂરિયાત છે. જો કે આ સ્થાન આપમેળે પ્રાપ્ત થતું નથી. તેના માટે સતત, સંયુક્ત અને સખત પ્રયત્નોની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ દિશામાં વિવિધ પ્રવાહો કાર્યરત છે, જેમાં આરએસએસ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

વીસમી સદીના મહાન આધ્યાત્મિક વિચારક યોગી અરવિંદોનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું કે સનાતન ધર્મના પુનરુત્થાનનો વિચાર એક સદી પહેલા જ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે યોગી અરવિંદોએ સ્પષ્ટ કહ્યું હતું કે સનાતન ધર્મનું પુનર્જાગરણ એ દૈવી ઈચ્છા છે અને હિન્દુ રાષ્ટ્રનો ઉદય તેનો આધાર છે. તેમના અનુસાર ભારત, હિન્દુ રાષ્ટ્ર, સનાતન ધર્મ અને હિન્દુત્વ એકબીજાના પર્યાય છે. ભાગવતે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે તમામ હિન્દુઓ એક થઈને આ પ્રક્રિયાને આગળ વધારે.

ભવિષ્યની ટેકનોલોજી અંગે વાત કરતા સંઘ વડાએ કહ્યું કે આવનારા સમયમાં ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો પ્રભાવ વધશે, પરંતુ માનવતા પર ટેકનોલોજી હાવી ન થાય તે અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી માનવ કલ્યાણ માટેનું સાધન હોવું જોઈએ, માલિક નહીં. માનવ બુદ્ધિ અને મૂલ્યોનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે થવો જોઈએ, તે જ સાચો વિકાસ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે.…