Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી. ઘટના દરમ્યાન બંને યુવાન રેલવે ટ્રેક પર ચાલતા હતા ત્યારે આવી રહેલી લોકલ ટ્રેનની સીધી ટક્કરથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

મૃતકોની ઓળખ કરવામાં આવી
મૃતકોની ઓળખ સાગર સોનાવણે (ઉ.વ. 20) અને સચિન ટોકડે (ઉ.વ. 35) તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યુવકો ત્યાંથી પસાર થવા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યા.

પોલીસ તપાસ ચાલુ
આ મામલે જીઆરપી (Government Railway Police) દ્વારા અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાવચેત રહેવા રેલવેની અપીલ
રેલવે વિભાગ તરફથી વારંવાર કરવામાં આવતી અપીલ છતાં ઘણીવાર લોકો શોર્ટકટ તરીકે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે, જેના કારણે આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય છે. રેલવે વિભાગે ફરી એકવાર લોકોને ટ્રેક પર ન જવાં અને સત્તાવાર ફૂટ ઓવરબ્રિજ કે અન્ડરપાસનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *