મહત્વપૂર્ણ બદલીઓ:
ડી.ડી. જાડેજા, જે અગાઉ ગીર સોમનાથના કલેક્ટર હતા, હવે તેઓ ગાંધીનગર સ્થિત સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
એન.વી. ઉપાધ્યાય, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, હવે ગીર સોમનાથના નવા કલેક્ટર બનશે.
નીતિન વી. સાંગવાન, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી, હવે ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યભાર સંભાળશે.
સી.સી. કોટક, મહેસાણાના SPIPAના નાયબ નિયામક, હવે અમદાવાદ SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ નિભાવશે.
વી.આઈ. પટેલ, GPSCના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત, હવે અધિક શહેરી વિકાસ કમિશનર અને ફાઇનાન્સ બોર્ડ તરીકે શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં સ્થાન લેશે.



રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી બદલી:
પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર સામે મનરેગા યોજનામાં થયેલી ફરિયાદમાં પ્રાથમિક ફરિયાદી રહેલા DRDA દાહોદના બીએમ પટેલની પણ બદલી કરવામાં આવી છે, જેને રાજકીય દબાણ સાથે પણ જોડવામાં આવી રહી છે.
1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરી હતી અને તેમાં 5 અધિકારીઓને વધારાના ચાર્જ આપ્યા હતા. તે બાદ 21 ફેબ્રુઆરીએ વધુ 2 અધિકારીઓનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને ત્યારે પ્રમોશન પણ મળ્યું હતું.






