સાબરકાંઠા: ખેડબ્રહ્માના હિંગટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, 4ના મોત, 10 ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પોશીના નજીક હિંગટીયા ગામ પાસે આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ, બાઇક અને ખાનગી જીપ સામસામે ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઓછામાં ઓછા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના સમયે બસ અંબાજીથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે પોશીના નજીક બાઇક અને ખાનગી જીપ સાથે ભીષણ અથડામણ થઇ હતી. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

છ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલ લોકોને તરત નજીકની ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતના સાચા કારણોની તપાસ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અંબાજી-વડોદરા એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

આ દુર્ઘટનાની અસર માત્ર પરિવારો સુધી મર્યાદિત રહી નથી. સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાથી ઘેરો શોક પ્રસરી ગયો છે. મૃતકોના પરિવારમાં ઊંડો દુઃખ છવાયું છે અને સ્થાનિક લોકો સહિત સત્તાધારીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

    ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *