ગુજરાતમાં ફરી IAS અધિકારીઓની મોટા પાયે બદલી, 18 અધિકારીઓની મહત્વપૂર્ણ વિભાગોમાં નિમણૂકો

રાજ્યમાં ફરી એકવાર મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ 59 અધિકારીઓનું સ્થાનાંતરણ થયું હતું અને ત્યારપછી 21 ફેબ્રુઆરીએ બે અધિકારીઓ મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાનું સ્થળાંતર કરાયું હતું. હવે ફરીથી ઉચ્ચ સ્તરે કાર્યરત અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ બદલીઓ:
ડી.ડી. જાડેજા, જે અગાઉ ગીર સોમનાથના કલેક્ટર હતા, હવે તેઓ ગાંધીનગર સ્થિત સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એન.વી. ઉપાધ્યાય, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, હવે ગીર સોમનાથના નવા કલેક્ટર બનશે.

નીતિન વી. સાંગવાન, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી, હવે ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યભાર સંભાળશે.

સી.સી. કોટક, મહેસાણાના SPIPAના નાયબ નિયામક, હવે અમદાવાદ SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ નિભાવશે.

વી.આઈ. પટેલ, GPSCના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત, હવે અધિક શહેરી વિકાસ કમિશનર અને ફાઇનાન્સ બોર્ડ તરીકે શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં સ્થાન લેશે.

 

રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી બદલી:
પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર સામે મનરેગા યોજનામાં થયેલી ફરિયાદમાં પ્રાથમિક ફરિયાદી રહેલા DRDA દાહોદના બીએમ પટેલની પણ બદલી કરવામાં આવી છે, જેને રાજકીય દબાણ સાથે પણ જોડવામાં આવી રહી છે.

1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરી હતી અને તેમાં 5 અધિકારીઓને વધારાના ચાર્જ આપ્યા હતા. તે બાદ 21 ફેબ્રુઆરીએ વધુ 2 અધિકારીઓનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને ત્યારે પ્રમોશન પણ મળ્યું હતું.

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ : પત્ની સહિત 9 આરોપીઓ દોષિત, જાણો સમગ્ર મામલો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *