ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો.

ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.

પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’
ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે પોતે જ ગુપ્તચર ભૂલો સ્વીકારી છે? પહેલગામ હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી માટે કોંગ્રેસ સરકારની સાથે ઉભી છે. દેશ પક્ષથી ઉપર છે. જોકે, ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંભવિત આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલોને પગલે પીએમ મોદીએ તેમની કાશ્મીર મુલાકાત રદ કરી હતી.

ભાજપે આપ્યો વળતો જવાબ
આ મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો. ઝારખંડ ભાજપના અધ્યક્ષ  બાબુલાલ મરાંડીએ કહ્યું કે ખડગેની ટિપ્પણી એવા નિર્ણાયક સમયે આવી છે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સામેની લડાઈ નિર્ણાયક તબક્કે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

પુલવામા હુમલાની વર્ષગાંઠ પર આસામમાં PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે દેશને ફક્ત બીજી ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ મળી નથી; તે એ પણ સાબિત કરે છે કે નવું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *