કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો.
ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’
ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે પોતે જ ગુપ્તચર ભૂલો સ્વીકારી છે? પહેલગામ હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી માટે કોંગ્રેસ સરકારની સાથે ઉભી છે. દેશ પક્ષથી ઉપર છે. જોકે, ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંભવિત આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલોને પગલે પીએમ મોદીએ તેમની કાશ્મીર મુલાકાત રદ કરી હતી.
ભાજપે આપ્યો વળતો જવાબ
આ મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો. ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ કહ્યું કે ખડગેની ટિપ્પણી એવા નિર્ણાયક સમયે આવી છે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સામેની લડાઈ નિર્ણાયક તબક્કે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






