દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી.

દિલ્હી-NCRમાં ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાતા લોકો તાત્કાલિક ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ રહેણાંક વિસ્તારોના લોકો સાવચેતીના ભાગરૂપે ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા.

જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. સાથે જ પંજાબના ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણા જેવા શહેરોમાં પણ લોકો ભૂકંપના આંચકા અનુભવતા ઘરોની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી છે.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

ભૂકંપ સમયે શું કરવું?
ભૂકંપ આવે ત્યારે ગભરાવાની જગ્યાએ શાંત રહેવું જરૂરી છે. ઈમારતની અંદર હોવ તો મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે આશરો લેવો. લિફ્ટનો ઉપયોગ ટાળવો અને સીડીઓથી નીચે ઉતરવું. કાચની બારીઓ અને ભારે સામાનથી દૂર રહેવું.

ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો સતત હલનચલન કરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળે છે અને તે જ ભૂકંપનું સ્વરૂપ ધારણ કરે છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી તેની અસર વધુ જોવા મળે છે.

રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપની અસર
0 થી 1.9 સુધીનો ભૂકંપ અનુભવાતો નથી. 2 થી 2.9 સુધી હળવી ધ્રુજારી થાય છે, જ્યારે 3 થી 3.9 સુધી થોડા વધુ આંચકા અનુભવાય છે. 4 થી 4.9 પર બારીઓ તૂટી શકે છે. 5 થી 5.9 પર સામાન હલવા લાગે છે, જ્યારે 6 થી 6.9 પર ઈમારતોમાં તિરાડો પડી શકે છે. 7થી વધુ તીવ્રતા પર ભારે વિનાશ સર્જાઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 79 હજાર નવા દર્દીઓ નોંધાયા, 43 હજારથી વધુ લોકોના મોત

    ગુજરાતમાં કેન્સર એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે સામે આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેન્સરના નવા કેસ અને તેના કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં લગભગ 79 હજાર નવા કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જ્યારે 43,500થી વધુ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થયા છે. આ આંકડાઓ રાજ્યમાં કેન્સર સામે વધુ અસરકારક જાગૃતિ, સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત દર્શાવે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, દરરોજ સરેરાશ 119 લોકો કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જીવનશૈલીમાં બદલાવ, તમાકુ અને ગુટખાનું વધતું સેવન,…

    પાકિસ્તાને વિદેશી પત્રકારો માટે નવા નિયમો લાગુ કર્યા, NOC વિના ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી બહાર નહીં કરી શકાય રિપોર્ટિંગ

    પાકિસ્તાન સરકારે વિદેશી પત્રકારો માટે નવા રિપોર્ટિંગ નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે કામ કરતા વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર કોઈપણ વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા પહેલાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયને કારણે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સ્વતંત્ર રિપોર્ટિંગ પર અસર પડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં નવા નિયમોનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વિદેશી પત્રકાર જો પાકિસ્તાનના અન્ય શહેરો અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મેદાની રિપોર્ટિંગ કરવા માંગતા હોય તો તેમને અગાઉથી સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી વિના રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં પત્રકારો પર વધશે નિયંત્રણ નવા નિયમો બાદ પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK),…