દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી.

દિલ્હી-NCRમાં ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાતા લોકો તાત્કાલિક ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ રહેણાંક વિસ્તારોના લોકો સાવચેતીના ભાગરૂપે ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા.

જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. સાથે જ પંજાબના ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણા જેવા શહેરોમાં પણ લોકો ભૂકંપના આંચકા અનુભવતા ઘરોની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી છે.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

ભૂકંપ સમયે શું કરવું?
ભૂકંપ આવે ત્યારે ગભરાવાની જગ્યાએ શાંત રહેવું જરૂરી છે. ઈમારતની અંદર હોવ તો મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે આશરો લેવો. લિફ્ટનો ઉપયોગ ટાળવો અને સીડીઓથી નીચે ઉતરવું. કાચની બારીઓ અને ભારે સામાનથી દૂર રહેવું.

ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર સાત મુખ્ય ટેક્ટોનિક પ્લેટો સતત હલનચલન કરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળે છે અને તે જ ભૂકંપનું સ્વરૂપ ધારણ કરે છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી તેની અસર વધુ જોવા મળે છે.

રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપની અસર
0 થી 1.9 સુધીનો ભૂકંપ અનુભવાતો નથી. 2 થી 2.9 સુધી હળવી ધ્રુજારી થાય છે, જ્યારે 3 થી 3.9 સુધી થોડા વધુ આંચકા અનુભવાય છે. 4 થી 4.9 પર બારીઓ તૂટી શકે છે. 5 થી 5.9 પર સામાન હલવા લાગે છે, જ્યારે 6 થી 6.9 પર ઈમારતોમાં તિરાડો પડી શકે છે. 7થી વધુ તીવ્રતા પર ભારે વિનાશ સર્જાઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

    કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…