ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત

ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે, ત્યાર પછી ઈરાનમાં પ્રવેશવા માટે વિઝા ફરજિયાત બની જશે.

શું બદલાશે?
– 22 નવેમ્બરથી તમામ ભારતીય મુસાફરોને
– ઈરાનની ઔપચારિક વિઝા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
– દસ્તાવેજોની યોગ્યતા સાબિત કરવી પડશે
– નોકરીની ઓફર, મુસાફરીના હેતુ સહિતની તમામ વિગતો રજૂ કરવી પડશે
– ઈરાનનું કહેવું છે કે આ બદલાવ “સુરક્ષાની દૃષ્ટિએ” લેવામાં આવ્યો છે.

છેતરપિંડી ગેંગો સામે કાર્યવાહી મુખ્ય કારણ
વિઝા-ફ્રી સુવિધા રદ્દ કરવાની પાછળનું સૌથી મોટું કારણ ભારતીય નાગરિકોની સુરક્ષા હોવાનું નિષ્ણાતો કહે છે. ભારતીય વિદેશ મંત્રાલયે થોડા મહિનાં પહેલાં જ ચેતવણી આપી હતી કે ખોટી નોકરીની ઓફર આપતા ગેંગો ભારતીયોને ઈરાન લઈ જતાં હતા ત્યાં અપહરણ કરીને ખંડણી માંગવામાં આવતી હતી. ત્રીજા દેશોમાં નોકરી આપવાનાં વચનો બતાવીને યુવાનોને ફસાવવામાં આવતા હતા. આ મામલાઓમાં છેલ્લા મહિનાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી.

ઈરાનું સત્તાવાર નિવેદન
ઈરાની આંતરિક મંત્રાલયે જાહેરાત કરી કે “ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને, વિઝા-મુક્ત પ્રવેશ નિયમો પર ફરી વિચાર કરવાની જરૂર છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ તમામ પ્રવેશ વિઝા આધારિત રહેશે.”

સ્થિતિ પર ભારતની નજર
ભારતીય સરકાર સમગ્ર મુદ્દા પર નજર રાખી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, નવા નિયમો પ્રવાસીઓ, કામ માટે ઈરાન જનારાઓ અને ટ્રાવેલ એજન્ટ્સ પર સીધો અસર કરશે. વિદેશ મંત્રાલયે નાગરિકોને સલાહ આપી છે કે કોઈ પણ અનધિકૃત એજન્ટ અથવા શંકાસ્પદ નોકરી ઓફર પર ભરોસો ન રાખે. ઈરાનની મુસાફરી માટે વૈધ વિઝા મેળવ્યા વગર મુસાફરી ન કરે. ઈરાનમાંના જોખમ વિશે સાવચેત રહે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે…

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…