સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની સજા ફટકારી છે. દંડ નહીં ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે.

ઘટનાનો વિગતવાર ક્રમ
વર્ષ 2024ની 26 માર્ચે કૂડાચા ગામે રહેતો એક પરપ્રાંતિય પરિવાર રોજની જેમ નોકરી પર ગયો હતો. તેમના 13 વર્ષીય પુત્ર અશોક (નામ બદલેલ) ટ્યુશન ક્લાસ માટે ઘરેથી નીકળ્યો ત્યારે પાડોશી રૂસ્તમ ખાને તેનો માર્ગ રોકી મોઢું દબાવી પોતાની રૂમમાં ખેંચી ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરીને આરોપીએ કિશોરના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તક મળતા તરૂણ ભાગીને ઘરે પહોંચી ગયો અને પરિવારને સમગ્ર બનાવની માહિતી આપી.

પરિવારનો આઘાત અને તરત પોલીસ ફરિયાદ
ઘટનાથી દંગ બનેલા પરિવારજનો તરત જ સેલવાસ પોલીસ મથકે દોડી ગયા અને ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને ઝડપીને મેડિકલ પરીક્ષણ કરાવ્યું અને તમામ પુરાવાઓના આધારે મજબૂત ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી.

કોર્ટ સુનાવણી અને દલીલો
સેલવાસ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ નિપૂણાબેન રાઠોડે ભોગ બનનારની જુબાની, મેડિકલ રિપોર્ટ, અને અન્ય સાક્ષીઓના આધારે પ્રખર દલીલો રજૂ કરી. જજ વિભા પી. ઈગલેે તમામ પુરાવાઓને માન્ય રાખીને આરોપીને તકસીરવાર ઠેરવ્યો અને કાયદેસરની સૌથી કડક જોગવાઈઓ હેઠળ 20 વર્ષની કેદની સજા જાહેર કરી.

સમાજ માટે કડક સંદેશ
આ ચુકાદો નાબાલિકો પર થતા યૌન ગુનાઓ સામે કોર્ટ દ્વારા કડક અને સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા ગુનાખોરો માટે કોઈ છૂટછાટ નહીં અપાઈ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…