જુનાગઢ રોપ-વેમાં જવાનો પ્લાન કરતાં હોય તો ખાસ વાંચજો.. આટલા દિવસ રહેશે બંધ

તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને 3 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જુનાગઢમાં આવેલ ગિરનાર પરના રોપવેનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આગામી 7,8 અને 9 ઓક્ટોબરના રોજ રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતની જાણ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ
જુનાગઢ ખાતે આવેલ રોપવે એક અનોખુ આકર્ષણ ધરાવે છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ કર્યું હતું. આ રોપવે પર ઓનલાઈન ટિકીટ બુકીંગની સુવિધા www.udankhatola.com વેબપોર્ટલ પર મળી રહે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *