લદાખમાં રાજ્યનો દરજ્જો આપવામાં અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે ચાલી રહેલા આંદોલન વચ્ચે મંગળવારે ભારે હિંસા ફાટી ઉઠી, જેમાં ચાર લોકોના મોત થયા અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હિંસક ઘટનાઓ બાદ સરકારએ તાત્કાલિક કડક પગલાં ભર્યા છે.
લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા, રેલી અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રતિબંધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિરોધ દરમિયાન કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો અને BJP કાર્યાલયમાં આગ લગાવવાની ઘટના બની હતી. પોલીસએ ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે 15 દિવસનો ઉપવાસ તોડીને યુવાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
લદાખના લોકોની મુખ્ય માંગો છે કે લદાખને રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને તેને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. આ મુદ્દે કેન્દ્રિય ગૃહ મંત્રાલય 6 ઓક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરશે. આ બેઠકમાં લદાખના ધારાસભ્યો અને અગ્રણી હાજર રહી આ મુદ્દાઓ પર ચર્ચા થશે.






