અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ દરમિયાન ખેલૈયા માટે મેટ્રોએ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે.

26 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આ નિર્ણય ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયાવન મોટી રાહત મળશે. આ સાથે મસમોટા વાહન ભાડા અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.

ખેલૈયાઓમાં ખુશીનો માહોલ
રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, AMTS અને BRTS બસ દોડાવવા માટે માંગ ઉઠી હતી. ત્યારે આ નિર્ણયથી અમદાવાદ અને ગાંધીનગરના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. અમાવાદમાં છેલ્લાં બે વર્ષથી નવરાત્રી દરમિયાન મેટ્રોનો સમય વધારવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવરાત્રી શરૂ થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ નિર્ણય લેવાયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *