માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર-૪માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

આ આગમાં આશ્રમના અડધો ડઝનથી વધુ રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી.

આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આગ લાગતી વખતે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. તંબુના પાછળના ભાગેથી અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેતી અને પાણી ફેંકી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ દુર્ઘટનામાં અનાજ, કપડાં અને આશરે ₹20,000ની રોકડ રકમ સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ૧૨થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેતા સમયે ત્રણ ફાયર ફાઈટરો – મિલન સિંહ, અમરજીત અને અમૃત યાદવ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી આગ અન્ય શિબિરો સુધી ફેલાતી અટકાવી શકાઈ, નહીંતર મોટી હોનારત સર્જાઈ શકી હોત. નોંધનીય છે કે આ આગની ઘટના અગાઉના દિવસે થયેલી આગ પછીની બીજી મોટી ઘટના છે. મંગળવારે સેક્ટર-૫માં આવેલ રામ નામ પ્રચાર સંઘના કેમ્પમાં આગ લાગી હતી, જેમાં બે તંબુ અને આશરે ₹૧ લાખની રોકડ બળીને ખાખ થઈ ગઈ હતી.

માઘ મેળામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મેળા વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગ લાગવાના સચોટ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…