રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી.
ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક આંચકો અનુભવાયો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







