ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ
ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…
મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી રાષ્ટ્રપતિ રાજોએલિનાનું દેશ છોડીને ફારાર
હિંદ મહાસાગરના પૂર્વ કિનારે આવેલા આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના અઠવાડિયા લાંબા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય તણાવની નવી સીમા પાર કરી છે. રાષ્ટ્રપતિ આન્દ્રે રાજોએલિનાએ રવિવારે દેશ છોડીને ફરાર થવાનો નિર્ણય લીધો છે. તેમણે દાવો કર્યો કે દેશમાં સૈન્ય દ્વારા બળવો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઘટના Gen-Z બળવો અને ઉચ્ચ કક્ષાના અધિકારીના રાજીનામાનું તાજુ ઉદાહરણ બની છે. નોંધનીય છે કે ગયા મહિને નેપાળમાં પણ આવા જ Gen-Z વિરોધોના કારણે વડા પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ફ્રેન્ચ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામત બહાર કાઢ્યું રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર એક ફ્રેન્ચ લશ્કરી વિમાને રાષ્ટ્રપતિ રાજોએલિનાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો. આ પહેલાં ફ્રેન્ચ દૂતાવાસે મેડાગાસ્કરમાં કોઈ પણ પ્રકારના લશ્કરી હસ્તક્ષેપનું…
PM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, જાણો શું કહ્યું
દક્ષિણ પશ્ચિમ એશિયામાં તણાવના માહોલ વચ્ચે એક શાંતિસભર દ્રશ્ય સામે આવ્યું છે. ગાઝામાં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, હમાસે યારના પગલાં તરીકે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુક્તિનું હાર્દિક સ્વાગત કર્યું છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મોદીનું નિવેદન વડાપ્રધાન મોદીએ કહ્યું,”અમે બે વર્ષથી વધુ સમયથી બંધક બનાવાયેલા તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને વડા પ્રધાન નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનો પુરાવો છે.” તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ટ્રમ્પના પ્રયાસો માટે ભારત સંપૂર્ણ સમર્થન આપે છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે મજબૂત સાથે ઉભું છે. યુદ્ધવિરામ અને બંધક કરાર –…
દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર
દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની બચતનું મોટું અંશ ઉપાડવું વધુ સરળ બનશે. EPFOના નવા નિર્ણયોથી કયા ફેરફાર થયા? સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ, જેમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા: હવે PFમાંથી 100% સુધી આંશિક ઉપાડ શક્ય અગાઉ PFમાંથી આંશિક ઉપાડ માટે 13 અલગ-અલગ જટિલ જોગવાઈઓ હતી, જેને હવે માત્ર 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે: – આવશ્યક જરૂરિયાતો: જેમ કે શિક્ષણ, લગ્ન, માંદગી વગેરે – રહેઠાણ સંબંધિત જરૂરિયાતો – ખાસ પરિસ્થિતિઓ: જેમ કે કુદરતી આફત, રોગચાળો, લોકડાઉન વગેરે – ખાસ પરિસ્થિતિઓ માટે…
આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીને પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને એના તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે, જેથી હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ કેટલાક લોકોએ લાઇસન્સ લીધા વિના દુકાનો શરૂ કરી દીધી છે. કોઈ ફાયર સેફ્ટી રાખવામાં આવતી નથી ત્યારે જો રોડ પર કોઈ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એ ફટાકડા ઊડીને…
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેમની ભારત મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેનેડાના વિદેશ મંત્રી સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, “કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત છે. પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, કૃષિ અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનમાં સહયોગને મજબૂત કરવાના પગલાંઓ પર ચર્ચા કરી.” પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાનએ કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો…
સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો આઠ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો, જાણો શું કહે છે આંકડા
સામાન્ય જનતા અને સરકાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, દેશમાં છૂટક ફુગાવાના દરમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પર આધારિત છૂટક ફુગાવો ઓગસ્ટમાં 2.07% થી ઘટીને સપ્ટેમ્બર 2025 માં 1.54% થયો છે. 1.54% નો આ દર છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી નીચા સ્તરોમાંનો એક છે, અને તે સતત બીજા મહિને 2% થી નીચે રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) એ જણાવ્યું હતું કે આ તીવ્ર ઘટાડો મુખ્યત્વે અનુકૂળ આધાર અસર અને ખાદ્ય ભાવમાં ઘટાડાને કારણે થયો છે. ખાદ્ય ફુગાવો (-) 2.28%: સપ્ટેમ્બર 2025 માં ખાદ્ય ફુગાવો નકારાત્મક (-) 2.28% હતો, જે દર્શાવે છે કે ખાદ્ય વસ્તુઓ પાછલા વર્ષની તુલનામાં સસ્તી થઈ છે. (ઓગસ્ટમાં તે (-)…
રવિન્દ્ર જાડેજાએ હાંસલ કરી મોટી સિદ્ધિ, હરભજન સિંહને પાછળ છોડી આ ખાસ ક્લબમાં કરી એન્ટ્રી
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતના બોલરોએ પહેલી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ બીજી ઇનિંગમાં વિકેટ લેવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. બીજી ઇનિંગમાં, ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વિકેટ લઈને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે હવે હરભજન સિંહને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અનિલ કુંબલે ભારત માટે ભારતીય ધરતી પર સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર છે. તેમણે 204 ઇનિંગ્સમાં 476 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન 475 વિકેટ સાથે બીજા ક્રમે છે. રવિન્દ્ર જાડેજા હવે 377 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હરભજન સિંહે પણ પોતાની કારકિર્દી દરમિયાન ભારતીય…
બિહારમાં BJP નહીં અપનાવે ગુજરાત મોડલ, ઉમેદવારોની પસંદગી માટે કરશે આ ફોર્મ્યુલાનો ઉપયોગ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA સત્તા ટકાવી રાખવા માટે સમીકરણો મુજબ ઉમેદવારોની પસંદગી કરી રહી છે. આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો માટે ઉમેદવારોના નામ અંતિમ સ્વરૂપ આપી દીધા છે અને જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાર્ટી બિહારમાં ટિકિટ વિતરણમાં ગુજરાત મોડેલ અપનાવશે નહીં. એટલે કે, તે 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરશે નહીં. ભાજપે ઘણી વાર બધી ચૂંટણીઓમાં આ મોડેલનો ઉપયોગ કર્યો છે, લગભગ 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે અને તેમના સ્થાને યુવાનોને તક આપી છે, પરંતુ આ વખતે બિહારમાં આ મોડેલ અપનાવવામાં આવશે નહીં. જોકે, સૂત્રો સૂચવે છે કે પાર્ટી 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ…
Cromeમાં નકામી નોટિફિકેશન થશે આપમેળે બંધ, યુઝર્સને મળશે રાહત
ગૂગલે તેના લોકપ્રિય વેબ બ્રાઉઝર, ગૂગલ ક્રોમમાં એક નવું “સ્માર્ટ એલર્ટ કંટ્રોલ” ફીચર ઉમેર્યું છે. આ ફીચર એવી વેબસાઇટ્સ પરથી આવતી નોટિફિકેશન આપમેળે બંધ કરી દેશે જેનો ઉપયોગ યુઝર્સએ ઘણા સમયથી નથી કર્યો. તેનો ઉદ્દેશ્ય અનિચ્છનીય પોપ-અપ્સ અને બિનજરૂરી એલર્ટ્સને દૂર કરવાનો છે જે ઘણીવાર બ્રાઉઝિંગમાં વિક્ષેપ પાડે છે. આ અપડેટ એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ બંને વર્ઝન માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને ક્રોમના હાલના ગોપનીયતા સાધનોમાં વધુ સુધારો કરશે. નવી સુવિધા કેવી રીતે કાર્ય કરશે ગૂગલની બ્લોગ પોસ્ટ અનુસાર, આ સુવિધા ક્રોમ સેફ્ટી ચેક સિસ્ટમનો એક ભાગ છે. આ સિસ્ટમે પહેલાથી જ નિષ્ક્રિય વેબસાઇટ્સમાંથી કેમેરા અને લોકેશન જેવી પરમીશન દૂર કરી દીધી છે. હવે, એ જ રીતે, નોટિફિકેશન પરમીશન પણ આપમેળે રદ કરવામાં આવશે. કંપનીના…
















