આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના મજબૂત નેતૃત્વ અને સશસ્ત્ર દળોની બહાદુરી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ રહી છે.

ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી 13 થી 23 મે દરમિયાન યોજાનાર પ્રચાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ ભારતના સફળ ઓપરેશન્સ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને પ્રકાશિત કરીને લોકોને એક કરવાનો પ્રયાસ કરશે.

ભાજપે સોંપી આ નેતાઓને જવાબદારી
આ યાત્રા દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા વરિષ્ઠ પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પોતે વિવિધ સ્થળોના પ્રવાસનું નેતૃત્વ કરશે. ભાજપે ઓપરેશન સિંદૂરને રાજકીય ઇચ્છાશક્તિનો વિજય ગણાવ્યો છે અને કહ્યું છે કે ઓપરેશન સિંદૂરએ તેનું 100% લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.

યાત્રાનો આ છે ઉદ્દેશ
આ ત્રિરંગા યાત્રાઓ 13 મે થી 23 મે દરમિયાન ભાજપના બેનર હેઠળ નહીં યોજાય. આ યાત્રાઓમાં સામાન્ય નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોની વ્યાપક ભાગીદારી રહેશે. તેમનો ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકોને પહોંચાડવાનો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

IAFની તાકાતમાં થશે મોટો વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ; ‘સુપર સુખોઈ’થી AMCA સુધી તૈયારી

ભારતીય વાયુસેના (IAF) પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આધુનિકીકરણની દિશામાં મોટા પાયે કામ કરી રહી છે. વાયુસેનાની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે આશરે 60 જેટલા આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં સરકારી સંસ્થા DRDOની સાથે દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ માત્ર નવા હથિયારો અને સિસ્ટમો સામેલ કરવાનો નથી, પરંતુ ભારતીય વાયુસેનાને વધુ નેટવર્ક-સેન્ટ્રિક, ટેક્નોલોજી આધારિત અને સ્વદેશી ક્ષમતાઓથી સજ્જ બનાવવાનો છે. આ પ્રક્રિયા દ્વારા ભારતની વિદેશી ડિફેન્સ ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IAFના 60 પ્રોજેક્ટ્સમાં શું થશે? IAFના આધુનિકીકરણ કાર્યક્રમોમાં અદ્યતન રડાર, એવિઓનિક્સ, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, સુરક્ષિત કોમ્યુનિકેશન નેટવર્ક,…

લોનના નાણાંની કથિત હેરાફેરીનો કેસ, RCOM સામે EDની મોટી કાર્યવાહી

રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. એજન્સીએ નવી દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ PMLA કોર્ટમાં સપ્લિમેન્ટરી પ્રોસિક્યુશન કમ્પ્લેઈન્ટ દાખલ કરી છે. આ કાર્યવાહી 27 માર્ચ, 2026ના રોજ દાખલ કરવામાં આવેલી મૂળ પ્રોસિક્યુશન ફરિયાદ બાદની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. EDની તપાસનો આધાર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની બેન્કિંગ સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIR છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓની ફરિયાદોના આધારે CBIએ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ EDએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરી હતી. માર્ચમાં EDએ પૂર્વ RCOM એક્ઝિક્યુટિવ પુનિત ગર્ગ અને અન્ય સામે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી. લોનના નાણાંના કથિત દુરુપયોગનો આરોપ EDના જણાવ્યા અનુસાર,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *