શિયાળામાં તલ ખાવાના ફાયદા, સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ઉપયોગી

શિયાળાની ઋતુમાં તલનું મહત્વ ખાસ માનવામાં આવે છે. તલ કુદરતી રીતે ગરમ તાસીર ધરાવે છે, જે ઠંડીમાં શરીરને ઉર્જા આપે છે અને હૃદય-સ્નાયુઓ માટે લાભદાયક છે. ભારતમાં વર્ષોથી તલનો ઉપયોગ માત્ર ખોરાક તરીકે નહીં પરંતુ આયુર્વેદિક દૃષ્ટિએ ઔષધિ તરીકે પણ થતો આવ્યો છે. ખાસ કરીને મકરસંક્રાંતિના તહેવારમાં તલના લાડુ ખાવાની પરંપરા તેની પૌષ્ટિક અને વૈજ્ઞાનિક મહત્વને દર્શાવે છે.

તલ – એક સુપરફૂડ
સફેદ અને કાળા તલમાં પ્રોટીન, સ્વસ્થ ચરબી, ફાઇબર ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ ખનિજ હોય છે. આ ઉપરાંત, તેમાં B1, B6, નિયાસિન અને થિયામીન જેવા B-વિટામિન્સ પણ છે, જે ઊર્જા અને નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે.

હાડકાં મજબૂત કરે
શિયાળામાં તલના લાડુ ખાવાનું મુખ્ય ફાયદું હાડકાંને મજબૂતી આપવું છે. તલમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધા દુખાવામાં રાહત આપે છે. સાથે જ ત્વચાને પોષણ મળે છે, લોહીની ઉણપ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તલના લાડુ ખાસ કરીને થાક, નબળાઈ, શરદી-ખાંસી અને પાચનતંત્ર માટે લાભદાયક છે.

તલના લાડુ બનાવવા માટે સામગ્રી
– ૨ કપ સફેદ કે કાળા તલ (અથવા બંને)
– ૧.૫ કપ બારીક પીસેલો ગોળ
– ૨ ચમચી દેશી ઘી
– અડધી ચમચી એલચી પાવડર
– અડધો કપ શેકેલા અને વાટેલા મગફળી અથવા બદામ

બનાવવાની રીત
– પેનમાં તલ ધીમા તાપે શેકો. તલ ફૂલી જવા પર અલગ પ્લેટમાં કાઢો.
– એ જ પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો. ગોળ ધીમે ઓગળે ત્યાં સુધી રાંધો.
– તૈયાર ચાસણીમાં તલ, એલચી પાવડર અને વાટેલી મગફળી/બદામ ઉમેરો અને મિક્સ કરો.
– મિશ્રણ થોડું ઠંડુ થતા હાથમાં ઘી લગાવી લાડુ બનાવો.
– ઠંડુ થયા પછી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો.
શિયાળામાં દૂધ સાથે તલના લાડુ ખાવા ખાસ લાભદાયક છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…