બાંગ્લાદેશની શેખ હસીનાની પ્રત્યાર્પણ માગણી, ICTના ફાંસીના ચુકાદા બાદ રાજકીય તોફાન

બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે હલચલ મચી છે. ચુકાદાના થોડા કલાકોમાં જ ડૉ. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને ઔપચારિક રીતે પ્રત્યાર્પણ માટે પત્ર મોકલીને બંને નેતાઓને “તાત્કાલિક સોંપી દેવા”ની માંગણી કરી છે.

ભારતને બાંગ્લાદેશી સરકારનો પત્ર
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે “ICTએ માનવતા વિરુદ્ધના અપરાધોમાં દોષિત ઠેરવાયેલા શેખ હસીના અને અસદુઝમાન ખાન કમાલને ફાંસીની સજા સંભળાવી છે. જો કોઈ દેશ આવા ફરાર આરોપીઓને આશરો આપે છે, તો તે ન્યાયની અવગણના અને દ્વિપક્ષીય મિત્રતાની ભાવનાના વિરુદ્ધ ગણાશે.” પત્રમાં 2013ની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધીનો ઉલ્લેખ કરતા બાંગ્લાદેશે કહ્યું કે, તે સંધિ હેઠળ ભારતનું કર્તવ્ય છે કે દોષિતોને તાત્કાલિક બાંગ્લાદેશને સોંપે.

ભારતનું નિવેદન
ચુકાદા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેના પ્રાથમિક પ્રતિભાવમાં જણાવ્યું “ભારત બાંગ્લાદેશનું ગાઢ અને જવાબદાર પાડોશી છે. અમે ત્યાં શાંતિ, લોકશાહી અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ છીએ. બાંગ્લાદેશના તમામ હિતધારકો સાથે રચનાત્મક ચર્ચા ચાલુ રહેશે.” વિવેચકોના મતે ભારત આ મુદ્દે તરત નિર્ણય લેવાની સ્થિતિમાં નથી અને પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થાય ત્યાર બાદ રાજનૈતિક માર્ગે આગળ વધશે.

હસીનાનો આક્રોશ અને રાજકીય આરોપો
ICT દ્વારા સજા સંભળાવતા જ શેખ હસીનાએ દિલ્હીમાં નિવેદન આપ્યું “ટ્રિબ્યુનલ અલોકતંત્રપૂર્ણ અને પક્ષપાતી રીતે વર્ત્યું છે. વચગાળાની સરકારને લોકમતનો જનાદેશ જ મળ્યો નથી. આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પ્રેરિત છે અને અમને અને અવામી લીગને ખતમ કરવાની ચાલ છે.” તેમણે વચગાળાની સરકાર પર આરોપ મૂક્યો કે કટ્ટરપંથી તત્ત્વો તેમની જાન પર ખતરાનો ઈરાદો ધરાવે છે. હસીનાએ કહ્યું કે ICTનો ચુકાદો જુલાઈ–ઑગસ્ટ 2024ના વિદ્યાર્થી આંદોલનનું સત્ય બહાર લાવવા માટે નહીં પરંતુ અવામી લીગને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ છે.

વિદ્યાર્થી આંદોલનની પૃષ્ઠભૂમિ અને ICTનો આક્ષેપ
જુલાઈ–ઑગસ્ટ 2024માં સમગ્ર બાંગ્લાદેશમાં ભડકેલા વિદ્યાર્થી આંદોલનમાં હિંસા ફાટી નીકળી હતી. ICTએ તેના ચુકાદામાં કહ્યું છે કે—
– શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર બોમ્બ હુમલાનો આદેશ આપ્યો હતો.
– આંદોલનમાં 1,400 વિદ્યાર્થીઓના મોત થયા.
– 24,000થી વધુ લોકો ઘાયલ થયા.
– હસીના “હજારો હત્યાઓની માસ્ટરમાઈન્ડ” હતી.
– આ દાવાઓ પર હસીનાએ સંપૂર્ણ ઇનકાર દર્શાવ્યો છે.

દિલ્હીમાં આશરો અને ભવિષ્યની દિશા
શેખ હસીના અને અસદુઝમાન ખાન કમાલ 5 ઑગસ્ટ 2024થી નવી દિલ્હીમાં આશરો લે છે. ICTના આજના ચુકાદા અને ઢાકાથી આવેલા પ્રત્યાર્પણ પત્ર બાદ બંને દેશો વચ્ચે રાજકીય અને રાજનૈતિક દબાણ વધવાની સંભાવના છે. બાંગ્લાદેશમાં આ ચુકાદાને પગલે ભારે હોબાળો મચ્યો છે. ઢાકામાં કેટલીક જગ્યાએ પ્રદર્શન, તેમજ ભારે સુરક્ષા તૈનાતીની માહિતી મળી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ક્રિકેટના મહાકુંભમાં ‘મહાયુદ્ધ’, રવિવારે થશે બંને ટીમ વચ્ચે આરપારની ટક્કર

વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટી મેચ હવે નજીક છે. ICC Men’s T20 World Cupમાં રવિવારે, 15 Februaryએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. શ્રીલંકાની રાજધાની Colomboમાં યોજાનારી આ…

વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ…