ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે.

આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર સુધીના તેમના કેમ્પોને નષ્ટ કર્યા હતા.

અમિત શાહે કહ્યું, ‘આતંકવાદીઓ પાકિસ્તાનથી આવતા હતા અને આપણા લોકો અને સેનાને મારી જતા રહેતા. આપણે કંઈ કરી શકતા નહોતા. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી ત્રણ મોટા હુમલા થયા છે. પ્રથમ ઉરીમાં, બીજો પુલવામામાં અને ત્રીજો પહેલગામમાં થયો. મોદીજીએ દરેક હુમલાનો એટલી તાકાતથી જવાબ આપ્યો કે આજે આખી દુનિયા આશ્ચર્યથી જોઈ રહી છે અને આજે પાકિસ્તાન ડરી ગયું છે. મોદીજીએ દરેક હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપ્યો છે.

આપણી એરડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં
અમે પાકિસ્તાનના આંતકીઅડ્ડા પર જ હુમલો કર્યો હતો તેમ છતાં પાકિસ્તાનની સેનાએ કચ્છથી લઈને કાશ્મીર સુધી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આપણી એરડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં હતા. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારે દુનિયાભરના ડિફેન્સ એક્સપર્ટ ઓપરેશન સિંદૂરનું વિશ્લેષણ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલગામ હુમલાનો બદલો લશ્કર અને જૈશના મુખ્યાલયોને જમીનદોસ્ત કરીને લેવામાં આવ્યો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *