રાજ્યમાં ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર અશોકકુમાર દાસના જણાવ્યા પ્રમાણે અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગ્રેડિએન્ટ છે. એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ છે અને દક્ષિણ તરફ હવાનું દબાણ ઓછું છે. એટલા માટે જ રાજ્યમાં પવનની ગતિ વધી ગઈ છે. પવન ઉત્તર તરફથી આવતા હોવાથી અતિશય ઠંડા છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, “ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ સુકું રહેવાની આગાહી છે. ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી. હાલ જે તાપમાન છે તે પ્રમાણે જ આગામી 24 કલાક સુધી રહેશે. પરંતુ તે બાદ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધારો નોંધાઈ શકે છે. અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્ર છે ત્યાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.”
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા
એ.કે. દાસે વધુમાં જણાવ્યુ કે, “માછીમારો ભાઈઓ માટે આજ માટે એટલે એક દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કેએમપીએસની ઝડપે ફૂંકાશે. મહત્તમ પવનની ગતિ 55 સુધીની આસપાસ રહેશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સલાહ આપી છે.”
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






