અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી ફતેહવાડીમાં મેટ્રો યાર્ડ પાસે કેનાલમાંથી યક્ષ પંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાસેના વિસ્તારમાંથી યશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે.
આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી
સ્કોર્પિયો નહેરમાં પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય મિત્રોએ દોરડું ફેંકીને ત્રણેય યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જે બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્કોર્પિયો કાર નહેરમાં પડી જવા અને ત્રણ યુવાનો ડૂબી જવાની માહિતી ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ માટે સરખેજના ફતેહવાડી કેનાલમાં પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સ્કોર્પિયો કારને બહાર કાઢી છે.
ઉલ્લેખનિય છે કે, સ્કોર્પિયો કાર ભાડે લઇને 4 કિશોરો રીલ્સ બનાવવા ગયા હતા. જેમાં વિરાજસિંહ રાઠોડ નામનો કિશોર બચી ગયો હતો. અને યશ, યક્ષ અને ક્રિશ કેનાલમાં ખાબક્યા હતા. 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લઇને રીલ્સ બનાવવા માટે ગયા હતા. તે સમયે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. અને મૌલિક જાલેરા નામના શખ્સે ગાડી આપી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
આ સમગ્ર ઘટનામાં અન્ય કિશોર ક્રિસ દવેના પરિવારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ક્રિશના પરિવારજન હિતેષ દવેએ જણાવ્યું હતું કે કાર ભાડે આપનારે ખરાઇ કરાવી જોઇએ. રીલ્સ બનાવવાના ચક્કરમાં આ ઘટના ઘટી હતી. રીલ્સ બનાવવનું કલ્ચર દૂર થવું જોઇએ. લોકોએ જોખમી રિલ્સ ન બનાવવી જોઈએ.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








