Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું

ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 3485 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા છે. તો બીજી તરફ ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માતના સામે આવ્યા છે.

આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો બન્યા છે.108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે.

આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *