અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલે દાંડી સાઇકલ યાત્રાનો પ્રારંભ થશે.રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીનો સંદેશ જન – જન સુધી પહોંચાડી જાગૃતિ લાવવાના સંદેશ સાથે દાંડી સાયકલ યાત્રાની શરૂઆત થશે. દાંડી સાયકલ યાત્રામાં 1600 કરતા વધુ યુવાનો જોડાશે.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ
ગુજરાત પ્રવાસન અને ગ્રીન રાઇડર્સ ક્લબના નેજા હેઠળ દાંડી સાયકલ યાત્રા યોજાશે. 12 માર્ચ બુધવાર સવારે 7 કલાકે દાંડી સાઇકલ યાત્રા ગાંધી આંશ્રમથી ગુજરાત વિધાપીઠ સવારે પહોંચશે. વિધાપીઠમાં દાંડી સાયકલ વીરોનું સ્વાગત કરી દાંડી રૂટ પર જ સાઇકલ યાત્રા પસાર થશે. આયોજકોએ સાઈકલ વીરોનાં ગ્રુપ પાડ્યા મુજબ યાત્રા 4 એપ્રિલ સુધી યોજાશે.
આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા
12 માર્ચથી 4 એપ્રિલ સુધી દાંડી સાયકલ યાત્રા યોજાશે. દાંડી સાયકલ યાત્રિકોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાશે. અંતે 4 એપ્રિલે દાંડી સાયકલ યાત્રાનું સમાપન થશે. યુવાનો ગાંધી સંદેશો સર્વત્ર ફેલાવી દાંડી દિનની કાયમી યાદી ચિરંજીવ કરશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






