મોરબીમાં પોલીસે હત્યા કેસનાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર આધેડને ત્રણ લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જે બનાવમાં પોલીસે હત્યા કરનાર હાલ ત્રણેય હત્યારાઓ ઓળખ કરી લીધી હતી. અને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. અને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ
મળતી માહિતી મુજબ, ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના તેઓ ઓફિસથી જમવા ગયા હતા ત્યારે તેમના પિતા જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા. ત્યારે આરોપી મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મિયાણા રહે.ખીરઇ તા.માળીયા મિયાણા, આરોપી જાકિર બચુભાઇ સંધી રહે.ત્રાજપર ખારી અને આરોપી ઇકબાલ હૈદર જેડા રહે.શોભેશ્વર મફતિયાપરાવાળાઓ ઓફિસની બહાર ગેલેરીમાં સુવા માટે આવતા તેમના પિતા જેઠીગીરીએ સુવાની ના પાડી હતી.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું
આરોપીઓ ત્યાંથી ઝઘડો કરી જતા રહ્યા હતા. જે બાદ રાત્રીના દસેક વાગ્યે ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસેથી જતા રહ્યા હતા અને મૃતક જેઠીગીરી ઓફિસની ગેલેરીમાં બેઠા હતા ત્યારે હત્યારા ત્રણેય આરોપીઓ ફરી ઓફિસની ગેલેરીમાં આવ્યા હતા અને ઝઘડો કરી જેઠીગીરીને છરીના ઘા મારી દેતા બાજુની ઓફીસ વાળાઓએ ગિરિરાજગીરીને બનાવ અંગે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તેમના પિતાને સારવારમાં ખસેડતા મૃત જાહેર કરાયા હતા. હત્યાના બનાવ અંગે હાલમાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.અને ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







