Nadiad : નડિયાદમાં પરિણીતાનો આપઘાત, સંતાન નહીં થતાં પતિના ત્રાસથી હેરાન થઈ ગળે ફાંસો ખાધો

નડિયાદમાં પરિણીતાનો આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. લગ્નના સાત જ વર્ષમાં માત્ર 23 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાને સંતાન થતા ન થતાં પતિ અવારનવાર ઝઘડા કરતો હતો. એટલુ જ નહીં સાસુ સસરા પણ ત્રાસ આપતા હતા. જેથી ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવી હતી. પણ પિયરપક્ષે દિકરીનું ઘર ન તૂટે તે વિચારે સમજાવીને પરત મોકલી હતી. આખરે ત્રાસ સહન ન થતાં પરિણીતાએ આજે સવારે ફાંસો ખાઈ લીધો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ

મહેમદાવાદના જરાવત ગામે રહેતા હિંમતસિંહ રતાજી ઝાલાએ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમની નાની દિકરી દક્ષા (ઉં.વ.23)ના લગ્ન સાતેક વર્ષ પહેલાં સરસવણીના કાકરીયા વિસ્તારમાં રહેતા હિતેશસિંહ મંગળસિંહ ચૌહાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ત્રણેક વખત તેને કસુવાવડ થયેલ હોઈ સંતાન ન હતા. શરુઆતમાં દિકરીનું લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું. જો કે સંતાન ન હોવા બાબતે અવારનવાર પતિ ઝઘડો કરતો હતો. સાસુ સસરા પણ પતિની ચઢવણી કરી ભેગા થઈ ત્રાસ ગુજારતા હતા.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

વધુમાં કહ્યું હતું કે, દિકરી વારે તહેવારે ઘરે આવે ત્યારે ત્રાસ બાબતે જણાવતી હતી. એક માસ પહેલાં પણ દિકરી રીસાઈને ઘરે આવી હતી. અને હવે ત્રાસ સહન થાય તેમ નથી, જેથી હું પરત સાસરીમાં જવાની નથી તેમ જણાવતા દિકરીનું ઘર ન તૂટે તેમ વિચારીને બધાએ સમજાવીને પરત મોકલી આપી હતી. જો કે તા.10 માર્ચ 2025ના રોજ સવારના સાતેક વાગ્યે તેમના જમાઈના કુટુંબીઓ ઘરે આવ્યા હતા. અને તમારી દિકરી ગળે ફાંસો ખાઈ મરણ પામેલ હોવાનું જણાવતા પિયરપક્ષ સ્થળ પર દોડી ગયા હતા.

આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ

જ્યાં દિકરી મરણ હાલતમાં સુવડાવેલ હોઈ પરિવાર પર આભ તૂટી પડયો હતો. જમાઈને પુછતાછ કરતાં સવારે સાડા પાંચ વાગ્યે નોકરીએથી પરત આવતા ગળે ફાંસો ખાધેલ હાલતમાં હોવાની કેફિયત જણાવી હતી. આ મામલે જમાઈ હિતેશસિંહ તથા સાસુ મુન્નીબેન તથા સસરા મંગળસિંહ ભલાસિંહ ચૌહાણ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *