gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ…

રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન કરશે. સરકારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. નારાજ મધ્યાહન ભોજન કર્મીઓ સાંસદો,MLAને સેન્ટ્રલ કિચન મામલે આવેદન આપ્યા બાદ તબક્કાવાર રાજ્યમાં દેખાવો કરશે. આગામી 1 એપ્રિલથી મધ્યાહન ભોજન કર્મીઓએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર મધ્યાહન ભોજન કર્મીઓને જ અન્યાય થઈ રહ્યો છે. અને એટલે જ રાજ્યના તમામ મધ્યાહન ભોજન કર્મીઓ પોતાની માગને લઈને આંદોલનનું હથિયાર ઉગામ્યુ છે.

આ પણ વાંચો :- હોલિકા દહનની રાત્રે, કાળા તલ અને સરસવ સાથે આ ચમત્કારિક યુક્તિ કરો! ઘરમાં પૈસાનો ઢગલો હશે

મધ્યાહન ભોજન કર્મીઓ શું કહી રહ્યા છે? :- મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓ જ અત્યારે મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યા છે. આ યોજના હેઠળ કામ કરતાં સંચાલકો, રસોઈ તેમજ મદદનીશ તરીકે મોટાભાગે મહિલાઓનો સમાવેશ કરાયો છે. અને તેમને બહુ મામૂલી વેતન આપવામાં આવે છે તેવું આ કર્મચારીઓનું માનવું છે. મધ્યાહન ભોજન કર્મીઓનું કહેવું છે કે, તેમના કામ સામે તેમજ અત્યારના સમય મુજબ તેમને વેતન આપવામાં આવતું નથી. જ્યારે વેતન વધારવાની માગ કરાઈ ત્યારે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન શરુ કરી દેવામાં આવ્યું. અને એટલે જ સરકારના આ નિર્ણય સામે મધ્યાહન ભોજન કર્મીઓમાં રોષ જોવા મળ્યો. આગામી દિવસોમાં પોતાની માગને લઈને કેન્દ્ર પર કામકાજ બંધ રાખી ધરણાં કરશે.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

મધ્યાહન ભોજન યોજના :- ગુજરાતમાં 1984માં શરૂ થયેલ મધ્યાહન ભોજન યોજનામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવતું હતું.આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ફંડ આપે છે. સરકાર દ્વારા નિમણૂંક કરાયેલા મધ્યાહન ભોજન કર્મીઓ દ્વારા તમામ સરકારી શાળાઓના બાળકોને ગરમ અને રાંધેલુ ભોજન પીરસવામાં આવે છે. રાજ્યમાં કુપોષણની સમસ્યા દૂર કરવા ગરીબ બાળકોને વધુ પોષણ મળી રહે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *