Ahmedabad : અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, યુવાનની કરાઈ ઘાતકી હત્યા

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો

જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી. અને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. રમજાન માસમાં તેમણે ફરીથી નિકાહ કરવાનું પણ નક્કી કર્યું હતું. મૃતક અજીજ અવાર નવાર પત્ની અને બાળકોને મળવા માટે વટવા ખાતે જતો હતો. મૃતક અજીજ રવિવારે સવારના સમયે પત્ની અને બાળકોને મળવા માટે ઘરથી નીકળ્યો હતો. રમજાનના તહેવારના કારણે તે બાળકોને પૈસા અને કપડાં અપવવા માટે ગયો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

રાત્રિ દરમિયાન મૃતક પાછો નરોડા માટે પરત ફરી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ કેડીલા બ્રિજ પાસે 34 વર્ષીય યુવાની તીક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નીપજાવી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેડિલા બ્રિજ પાસે આ ઘટના બની હતી. જેમાં અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *