આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.

ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી.

તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું છે.

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *