આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.

ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી.

તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું છે.

Related Posts

નિષ્ફળતાને બનાવો સફળતાની સીડી: જાણો કેવી રીતે એક નિષ્ફળ ગેમ બની વિશ્વની દિગ્ગજ કંપની!

વ્યવસાયિક સફળતા: જ્યારે નિષ્ફળતા બની સફળતાની સીડી બિઝનેસની દુનિયામાં એક કહેવત છે કે, “દરેક સફળ કંપનીની પાછળ એક એવી વાર્તા હોય છે જેમાં શરૂઆતમાં ઘણો સંઘર્ષ અને નિષ્ફળતા છુપાયેલી હોય…

આજના AI યુગમાં સફળ બનવા માટે જાણો આ 10 બેસ્ટ AI ટૂલ્સ!

આજના સમયમાં આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી સેકન્ડોમાં દુનિયા બદલી રહી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ૨૦૨૬ના આ વર્ષમાં,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *