રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી જીત મેળવી છે. ત્યારે હવે રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. તારીખ 25 ,26 ,27 ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે.
-> પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક :- 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ એક માર્ચ બાદ તમામ પાલિકાને પ્રમુખ મળશે અને આ સાથે જ જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. હાલ પસંદગી પર સૌ કોઇની નજર રહેલી છે.
ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 66 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. ત્યારે હવે ભાજપે પ્રમુખ અને હોદ્દેદારોની પસંદગી કરવાની ભાજપે કવાયત હાથ ધરી છે.
જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપે નિરીક્ષકોની વરણી કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે, તારીખ 25 ,26 ,27 ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે અને તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે.






