રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે.

-> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે.

-> રાજકોટમાં મચ્છરનો ત્રાસ ! :- શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. જેને કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ હોસ્પિટલમાં દર્દીઓને લાઈનો જોવા મળી રહી છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *