ભાવનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 આરોપી ધરપકડ,1 ફરાર

B INDIA ભાવનગર : ભાવનગરમાં નરાધમોએ સગીરા સામે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. બગદાણામાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે. એકલતાનો લાભ લઈ 3 મહિના સુધી દુષ્કર્મ કર્યુ હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર થયો છે. ત્યારે તેને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

જો કે, પોલીસ આ બાબતે ફરિયાદ પણ લેતી ન હતી અને ફરિયાદીને સાંભળતી પણ ન હોવાની વાત સામે આવી હતી. જયારે પરિવાર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને રજૂઆત કરી હતી. અને કમિટીએ પોલીસને રજૂઆત કરી ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર ઘટનાને લઈ બગદાણા પોલીસે એક આરોપીની શોધખોળ અને બે આરોપીને જેલ હવાલે કર્યા છે.

-> પોલીસે લીધા નિવેદન :- પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ બાતમીના આધારે આરોપી ભરત દુધરેજીયા અને ઘનશ્યામને જેલ હવાલે કર્યા છે. પોલીસે સગીરાના તમામ રીપોર્ટ અને ઘટના સ્થળનું પંચનામુ કરી સગીરાના માતા-પિતાના પણ નિવેદન લીધા છે,ત્યારે સગીરા આરોપીઓના સંપર્કમાં કઈ રીતે આવી તેને લઈ પોલીસે પણ સગીરાની પૂછપરછ હાથધરી છે.ત્યારે અન્ય એક આરોપી ઝડપાય ત્યારે વધુ ખુલાસા થવાની શકયતાઓ રહેલી છે.બગદાણા પંથકમાં અલગ-અલગ જગ્યાએ આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે.

-> પોલીસ તપાસમાં ખુલાસો :- પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે,10 વર્ષીય સગીરાના પિતા નોકરીની શોધમાં હતા ત્યારે દેગવડા ગામના ભરત દુધરેજીયાએ નોકરીની લાલચ આપી સગીરા તેના પિતા અને દાદીને આશ્રય આપ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ લઈ ભરત દુધરેજીયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ મોટા ખૂંટવડાનો કાનો લાલજી મેર અને ઘનશ્યામ નામના શખ્સને દુષ્કર્મ આચરાયું હતુ.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *