અમરેલીમાં શ્વાનનો આતંક, છેલ્લા 24 કલાકમાં શ્વાને 15થી વધુ લોકોને ભર્યા બચકા

B INDIA અમરેલી : અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા છે. રખડતા કૂતરાંએ બાળકી ઉપર હુમલો કર્યો હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે. તો બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં સૌથી વધારે શ્વાનનો આતંક વર્તાઈ આવ્યો છે.

બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યાં છે,જેમાં 24 કલાક દરમિયાન 15થી વધુ લોકો ઉપર શ્વાને હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સૌથી વધુ બાળકોને શ્વાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. લોકો રોડ પરથી જઈ રહ્યાં હોય તો શ્વાન અચાનક આવીને બચકું ભરીને જતા રહેતા હોય છે. અમરેલી હોસ્પિટલમાં શ્વાન કરડવાને લઈ અલગ-અલગ કેસો નોંધાયા છે. 1 શ્વાનને હડકવા હોવાની આશંકા સેવાઈ રહી છે.

-> તંત્ર દ્વારા નથી કરતી કોઈ કામગીરી :- શહેરમાં શ્વાનનાં આતંકનાં પગલે સ્થાનિકોઓએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાને આ બાબતે જાણ છે તેમ છત્તા તે કામગીરી કરતી નથી અને શ્વાનને પાંજરે પૂરતી નથી,નગરપાલિકામાં સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ નહી આવ્યું હોવાની વાત સામે આવી છે.

Related Posts

પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો…

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *