અમરેલીમાં શ્વાનનો આતંક, છેલ્લા 24 કલાકમાં શ્વાને 15થી વધુ લોકોને ભર્યા બચકા

B INDIA અમરેલી : અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા છે. રખડતા કૂતરાંએ બાળકી ઉપર હુમલો કર્યો હોય તેવા સીસીટીવી વાયરલ થયા છે. તો બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં સૌથી વધારે શ્વાનનો આતંક વર્તાઈ આવ્યો છે.

બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યાં છે,જેમાં 24 કલાક દરમિયાન 15થી વધુ લોકો ઉપર શ્વાને હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સૌથી વધુ બાળકોને શ્વાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. લોકો રોડ પરથી જઈ રહ્યાં હોય તો શ્વાન અચાનક આવીને બચકું ભરીને જતા રહેતા હોય છે. અમરેલી હોસ્પિટલમાં શ્વાન કરડવાને લઈ અલગ-અલગ કેસો નોંધાયા છે. 1 શ્વાનને હડકવા હોવાની આશંકા સેવાઈ રહી છે.

-> તંત્ર દ્વારા નથી કરતી કોઈ કામગીરી :- શહેરમાં શ્વાનનાં આતંકનાં પગલે સ્થાનિકોઓએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાને આ બાબતે જાણ છે તેમ છત્તા તે કામગીરી કરતી નથી અને શ્વાનને પાંજરે પૂરતી નથી,નગરપાલિકામાં સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ નહી આવ્યું હોવાની વાત સામે આવી છે.

Related Posts

ગુજરાત માટે મોટા સમાચાર: મુંબઈ બાદ દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ, રાજ્યના શહેરોને મળશે મોટો લાભ

દેશમાં હાઈસ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ તરફ કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે દિલ્હી-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર તેમજ દિલ્હી-વારાણસી-સિલીગુડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ…

નાણાં વિભાગમાં 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં બદલીના આદેશ

રાજ્યના નાણાં વિભાગે હિસાબી કેડરના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા હિસાબનીશ વર્ગ-3ના 45 કર્મચારીઓને હિસાબ અધિકારી વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે જ તેમની રાજ્યના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *