આવતી કાલે વડાપ્રધાન મોદી પ્રયાગરાજ જશે, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ ખાતે મહાકુંભનો મેળો યોજાયો છે. ત્યારે પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ સંગમ તટે પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ રહ્યા છે. રાજકારણીઓ, અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ મહાકુંભની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ પ્રયાગરાજ જશે. તેઓ 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. વડાપ્રધાન મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે.

જ્યાંથી તેઓ 10.45 વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે 11 થી 11.30 વાગ્યાનો સમય વડાપ્રધાન માટે અનામત રાખવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન પછી, પીએમ મોદી 11.45 વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે. અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે 12.30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે.

-> સીએમ યોગી જશે પ્રયાગરાજ :- મહત્વનું છે કે સીએમ યોગી આજે પ્રયાગરાજ જશે. સીએમ યોગી આજે અક્ષય વડ અને સંગમ ઘાટ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર જશે. મહત્વનું છે કે આવતીકાલે પીએમ મોદી પ્રયાગરાજ આવવાના છે ત્યારે આજે તેઓ પ્રયાગરાજ જશે. હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે.

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *